ધાનેરા માં તસ્કરો નો તરખાટ : બંધ મકાનનત તાળા તોડ્યા

ધાનેરા માં તસ્કરો નો તરખાટ : બંધ મકાનનત તાળા તોડ્યા
Spread the love

 

ધાનેરા ફરીથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે બંધ મકાન માં ત્રણ બુકાની ધારીઓએ મકાનના તાળા તોડી મકાન ચોરી નો પ્રયાસ કર્યો હતો. ધાનેરા ની ડીબી પારેખ હાઈસ્કૂલ ની સામે આવેલા મકાન આજે વહેલી સવારે ત્રણ બુકાની ધારીઓ બાઈક પર આવ્યા અને મકાન ના તાળા તોડી મકાન પ્રવેશ્યા હતા અને સમાન વેર વિખેર કરી નાખ્યો હતો મકાન માં રહેતા રણજીતભાઇ પરમાર નવરાત્રી ની આઠમ નિમિતે પલ્લી ભરવા માટે તેમને વતન ગયા હતા અને આજે સવારે ઘરે આવી જોતા ઘરના તાળા તૂટેલા જોવા મળતા ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ બાઈક સવારો વહેલી સવારે આવી મકાન પ્રવેશ્યા હતા તેની જાણ થતા તાત્કાલિક ધાનેરા પોલીસ ને જાણ કરતા ધાનેરા પોલીસે તાપસ નો ધમધમાટ શરુ કર્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!