અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જિલ્લા દ્વારા શહીદોને વીરાંજલી અર્પણ કરવા લોકડાયરાનું આયોજન
દેશની રક્ષા કરવા માટે સેનામાં જોડતા સૈનિકોમાંથી ઘણા જવાનો દેશના સીમાડાઓની રક્ષા કરતા શહીદ થતા હોય છે ત્યારે અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા દ્વારા આગામી તા ૧૭/૧૦ના રોજ મોરબી જીલ્લના ઢુવા ગામે શહીદોને વીરાંજલી અર્પણ કરવા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય મંત્રી પરસોતમભાઈ સોલંકી સહિતના સમાજના ધારાસભ્યો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહેવાના છે.
અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા દ્વારા શહીદોને વીરાંજલી અર્પણ કરવા માટે ભાવુ સંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા જીલ્લાના પ્રમુખ વિનુભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, આગામી તા ૧૭/૧૦ના રોજ મોરબી જીલ્લના ઢુવા ગામે શહીદોને વીરાંજલી અર્પણ કરવા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગઢવી, ગાયક કલાકાર રાજુભાઈ, સાકરીયા ગુલાબબેન પટેલ જેવા ગાયક લોક સાહિત્યની વાણીનું રસપાન કરાવશે.
જેમાં રાજ્ય મંત્રી પરસોતમભાઈ સોલંકી, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સહિતના સાંસદ, ધારાસભ્યો તેમજ સંતો વીરજીભગત, રામદાસબાપુ, લાભુગીરી બાપુ, ખોડીદાસ ઈશ્વરદાસ પુજારી અને વાલજીભગત અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રદેશ તેમજ જુદાજુદા જિલ્લાઓના હોદેદારો સહિતના હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલમાં પ્રમુખ વિનુભાઈ વાઢેર, શક્તિભાઈ કુડેચા, ગોરધનભાઈ બાવળિયા, અશોકભાઈ સારલા, યોગેશભાઈ અગેચાણીયા, વરાણીયા પારસભાઈ, નરેશભાઈ ઘાટલિયા તેમજ તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે