કેશોદમાં શ્રી જલારામ માનવ સેવા સમિતિ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન
કેશોદમાં શ્રી જલારામ બાપની ૨૨૦મી જન્મ જયંતિ પૂર્વે એક વિશાળ બાઇક રેલીનું અયોજન કરવામાં આવ્યું જેમાં જલારામ માનવ સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિસદ, લોહાણા મહાજન, બજરંગદળ, ભારત વિકાસ પરિસદ સહિત કેશોદના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ ભાવ અને આસ્થાની સાથે સર્વે ભક્તોએ જલારામ બાપાના આશીર્વાદથી હર્ષ અને ઉલ્લાસથી આ બાઇક રેલી જોડાયા હતા તથા આ બાઇક રેલી જલારામ મંદિરથી આંબાવાડી, અમૃત નગર, રેલવે સ્ટેશન રોડ, ચાર ચોક તથા જલારામ લોહાણા વાડી આવી આ બાઇક રેલીને પૂર્ણ કરી હતી . ત્યારબાદ સર્વે ભક્તોએ સાથે મળીને જલારામ બાપની ૨૨૦ મી જન્મ જયંતી નિમિત્તે લોહાણા મહાજન વાડીમાં અલ્પાહાર ભોજન લઈ આ વિશાળ બાઇક રેલીના કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
રિપોર્ટ : મયુરી મકવાણા (જૂનાગઢ)