દીવના તમામ બીચ બંધ કરાયા, પરમિશન વગર ૫૦૦ બોટ ફિશિંગ માટે નીકળી
દીવ,
અરબી સમુદ્રમાં ઉદભવેલા મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે જિલ્લામાં ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્્યતા હોય વહીવટીતંત્રને એલર્ટ કરાયું છે. ૫૦૦થી વધુ બોટ જાફરાબાદના દરિયાકાંઠે પરત લાંગરી ગઇ હતી અને વાવાઝોડાનો ખતરો યથાવત ઉભો હોવા છતાં તંત્રની પરમિશન વગર જ ગતરોજ ૫૦૦ જેટલી બોટો ફરી દરિયામાં માછીમારી માટે નીકળી ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ કાગળ પર પ્લાન બનાવવામાં વ્યસ્ત હતાં તેવા સમયે સાગર ખેડૂઓ જાખમ ખેડીને દરિયામાં રવાના થતા તંત્રની પોલ ખુલી છે.દીવ પ્રસાશન દ્વારા તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે.
પ્રવાસીઓને બીચ પર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. વોટર સ્પોર્ટસ એÂક્ટવીટી પણ બંધ કરવામાં આવી છે. આથી બીચ પર ધંધો કરતા લોકોના રોજગાર પર અસર પહોંચી છે. એનડીઆરએફની ૨ ટીમ દીવ આવી પહોંચી છે. ૪ સ્થળોએ ખતરો વધું હોય ત્યાં સ્ટેન્ડ ટુ રહેશે. હજુ ત્રણ ટીમ આવશે.
વિનાશક વાવાઝોડુ ત્રાટકે તો તેની સામે લડવા તંત્ર કેટલુ સજ્જ છે અને તેના દાવા કેટલા ખોખલા છે તે જાફરાબાદ પંથકના માછીમારોએ ખુલ્લું પાડી દીધું હતું. મહા વાવાઝોડુ અરબી સમુદ્રમાં હજુ યથાવત છે અને આગામી ૬ તારીખથી તેની અસરના ભાગરૂપે અમરેલી પંથકના દરિયાકાંઠે ભારે વરસાદની શક્્યતા છે અને દરિયો તોફાની બનવાની પણ શક્્યતા છે. જાફરાબાદ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયેલું છે અને તંત્ર દ્વારા સાવચેત કરાતા જ ૫૦૦થી વધુ બોટ બે દિવસ પહેલા જ સલામત રીતે કાંઠે આવી ગઇ હતી. બીજી તરફ અમરેલી જિલ્લાનું વહીવટીતંત્ર આવનારી પરિÂસ્થતી સામે લડવા સજ્જ હોવાનો દાવો કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે આજે જણાવ્યું હતું કે તમામ બોટો કાંઠે છે, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું પેટ્રોલીંગ ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારના સરપંચોને પણ એલર્ટ કરાયા છે.
જા કે તંત્ર તેની તૈયારીમાં વ્યસ્ત રહ્યું હતું અને જાફરાબાદના દરિયાકાંઠેથી એક પછી એક બોટો માછીમારી માટે રવાના થઇ ગઇ હતી. અહીં સાંજ પડતા સુધીમાં મોટાભાગની બોટો દરિયામાં નિકળી ગઇ હતી. જા કે દરિયો હાલમાં શાંત છે અને ખતરા જેવી સ્થિતિ જણાતી નથી પરંતુ આવનારા બે દિવસમાં Âસ્થતી બદલાઇ શકે છે તેવા સંજાગોમાં તંત્રની આ મોટી ચુક ગણી શકાય. જા વાવાઝોડુ દરિયામાં શાંત પડી જાય તો જાજા વાંધો ન આવે પરંતુ તે કાંઠા તરફ ખેંચાશે તો માછીમારો પર ગંભીર જાખમ ઉભુ થશે.