ગંદકી અને કચરાના ઠેર-ઠેર ઢગથી બસસ્ટેન્ડમાં મુસાફરો બેસવા રાજી નથી…!
- નેત્રંગ તાલુકાભરના એસટી સ્ટેન્ડના કોઇ ઠેકાણા નથી
- બસ સ્ટેન્ડ અસમાજીક તત્વોના અડ્ડા બની ગયા
- નેત્રંગ તાલુકાભરના એસટી સ્ટેન્ડના કોઇ ઠેકાણા નહીં હોવાથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં લોકો પાસે ખાનગી વાહનોની અપુરતી સુવિધાના કારણે એસ.ટી. બસમાં મુસાફરી કરતાં હોય છે, પોતાના ગામથી છેક એસ.ટી. બસ સ્ટેન્ડ સુધી ચાલતા-ચાલતા આવી બસની રાહ જોતા હોય છે, જ્યાર સુધી બસ નહીં આવે ત્યાર સુધી બસસ્ટેન્ડમાં બેસીને બસની રાહ જોતા હોય છે,જેમાં એસટી વિભાગ ધ્વારા ગામે-ગામ બસ સ્ટેન્ડનું નિમૉણ કરાયું છે.
જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક એસટી બસ સ્ટેન્ડની હાલત જજૅરીત થઇ ગઇ છે,બસ સ્ટેન્ડના પતરા અને દિવાલો પણ તુટી ગયા છે, અને ગંદકી અને કચરાના ઠેર-ઠેર ઢગ હોવાથી મુસાફરો બસસ્ટેન્ડમાં બેસવા રાજી નથી, જેથી શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસામાં વરસાદ પડતા વરસાદમાં બસ સ્ટેન્ડની બહાર ઉભા રહેવાની મજબુરી બની ગઇ છે, જ્યારે કેટલાક બસ સ્ટેન્ડ દારૂ પીવા અને જુગાર રમવા માટે અસમાજીક તત્વોના અડ્ડા બની ગયા છે,પરંતુ જવાબદાર લોકોને કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,તેવા સંજોગોમાં આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકાભરના જજૅરીત બસ સ્ટેન્ડનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)