મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી
ગાંધીનગર,
રાજયના મુખ્ય. મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ જિલ્લારના તારાપુર ખાતે યોજાયેલા જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમમાં ૧૭ હજારથી વધુ લાભર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો હાથહાથ અર્પણ કર્યા બાદ આણંદ જિલ્લાીના પેટલાદ તાલુકાના અગાસ ખાતે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી.
મુખ્યા મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે આવી પહોંચતા આશ્રમના સંચાલકો અને ટ્રસ્ટીીશ્રીઓએ તેમનું સ્વાીગત કર્યું હતું.
અગાસ ખાતે આવેલ આવેલ આ આશ્રમ સંવત ૧૯૭૬માં કારતક સૂદ-૧૫ના જૈન ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થા પના કરવામાં આવી હતી. આ આશ્રમની સ્થા પનાનો ઉદ્દેશ આત્માજર્થી મુમુક્ષો ધર્મ પામે તથા ધ્યામન અને સાધના કરી શકે તેવો હતો.
આ આશ્રમ તરફથી જે ગ્રંથોનું પ્રકાશન થયું છે તેમાં શ્રીમદ્ રાજચંદ્ર, સુબોધસંગ્રહ, શ્રીમદ રાજચંદ્ર જીવનકળા, તત્વુજ્ઞાન, તારંગિણી, જ્ઞાનમંજરી, સમાધિ સોપાન તથા સહજસુખ સોપાન મુખ્યઅ છે તેવા આ આશ્રમની રાજયના મુખ્યત મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઇને પૂજા-અર્ચના કરી હતી.
મુખ્યન મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આશ્રમમાં પૂજા-અર્ચના કર્યા બાદ આશ્રમના સત્સંાગીઓ સાથે બેસીને સત્સં્ગનો લાભ લીધો હતો.
મુખ્યબ મંત્રીશ્રીએ સત્સંાગીઓ સાથે સત્સં ગ કર્યા બાદ આશ્રમનું અને આશ્રમમાં પ્રદર્શિત કરવામાં આવેલ પ્રદર્શનનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યપ મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આ મુલાકાત દરમિયાન જિલ્લાય પ્રભારી મંત્રી
શ્રી જયદ્રથસિંહજી પરમાર, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લાભ અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ સહિત અન્ય અગ્રણીઓ સાથે રહ્યા હતા.
મુખ્યજ મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સંચાલકો અને ટ્રસ્ટીઅઓ સાથે રહીને આશ્રમની અને પ્રદર્શન વિશે જાણકારી આપી હતી.