લાઠી બાલસેવા કેન્દ્રની મુલાકાતે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક સાહેબ
આજ રોજ અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક દ્વારા લાઠી ખાતે હાલમાં જ ચાલુ કરાયેલ બાલ સેવા કેન્દ્ર ( સી.એમ.ટી.સી. )ની મુલાકાત લેવામાં આવેલ હતી. લાઠીના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. મકવાણા, જે. બી. મોકાસણા અને આર.બી.એસ.કે. ડો. હરિવદન પરમાર એ લાઠી તાલુકામાં બાળકોની કૂપોષણની સ્થિતિ અને તેને નિવારવા કરવામાં આવેલ આયોજન અંગે કલેક્ટરશ્રીને માહિતગાર કરેલ હતા. બાળકો માં કુપોષણની ખામી દૂર કરવા કલેક્ટરશ્રીએ ઉપયોગી સૂચનો પણ કર્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નાયબ મામલતદરશ્રી, સી. ડી.પી.ઓ. શ્રી, તબીબી અધિક્ષક શ્રી, આર.બી.એસ.કે. સ્ટાફ અને તાલુકા આરોગ્ય કચેરી ના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.