માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને લાઠી ના શેખપીપરિયા ની સંસ્થા ઓ તરફ થી પાંચ લાખનું અનુદાન
ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલને પાંચ લાખનું અનુદાન પટેલ સમાજ શ્રી સુખનાથ જલધારા અને શિશુમંદિર ટ્રસ્ટ લાઠી તાલુકાના શેખપીપરિયા આયોજિત પટેલવાડી લોકાર્પણ અને અટલ લેબ ઉદ્ધાટન અને શિહીદ વીર જવાન સ્મારક સન્માન જેવા ત્રીવિધ કાર્યક્રમ તા.૭/૧૧ ના સંપન્ન થયેલ આ કાર્યક્રમ માં સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બિના દર્દી નારાયણોના લાભાર્થે રૂપિયા ૫.૦૦.૦૦૦ પાંચ લાખના અનુદાનનો ચેક હોસ્પિટલના સુપ્રી ડો નટુભાઈ રાજપરા મંત્રી શ્રી બી. એલ. રાજપરા ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ભિગરાડીયા ડો જે કે લાખાણી અને દાતા સુભેચ્છક શ્રી ઘનશ્યામભાઈ વીરાણી ને અર્પણ કરતા માનવ સેવા ટ્રસ્ટ ઉષ્મા ભર્યું સ્વાગત કરતા પુષ્પગુંચ શાલ શિલ્ડ અને સન્માન પત્રથી બહુમાન કર્યું હતું આ તકે શેખપીપરિયા ગામ ના અગ્રણી બેચરભાઈ ભાદાણી બાલુભાઈ ભાદાણી કલ્યાણભાઈ ભાદાણી વિનુભાઈ દેવાણી અંકુરભાઈ ભાદાણી અને અશોકભાઈ ભાદાણી સહિત દાતા ઓ નું સન્માન કરાયું હતું.