આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ હેલ્પ લાઇન, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિની દ્વારા આવેદન

હિંમતનગર તાલુકા અને આસપાસ ના ગામડાઓ માં વિધર્મીઓ દ્વારા લવ જેહાદ ધર્માંતરણ અને હત્યા ની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે , અને હાલ માં જ હિંમતનગર ના મહાવીરનગર માં બેખોફ વિધર્મી ધ્વારા હિન્દુ યુવતી ની ઘર માં ઘુસી કરપીણ હત્યા કરવામાં આવી હોય એમ લાગે છે અને આરોપી પોલીસ ના સકંજા માં હોય એને સખત માં સખત સજા થાય અને બીજું કોઈ પણ આવું દુ:સાહસ કરવાની હિંમત ના કરે એવું રાષ્ટ્રીય બજરંગ દળ અને ઓજશ્વિની સમસ્ત રોષે ભરાયેલા હિન્દુ સમાજ તરફ થી આપને આવેદન કરે છે . સરકાર દ્વારા મૈત્રી કરારના કાયદો નાબુદ થાય એવી સભ્ય સમાજ લાગણી છે
હિમતનગરના મહાવીર નગરમાં થયેલી હિંદુ યુવતીની કરપીણ હત્યામાં વિધર્મી દ્વારા લવ જેહાદને અંજામ આપવામાં આવ્યો હોય એમ લાગે છે.
આવા હત્યાના આરોપીઓ ને સખત સજા થાય, અને કાયમ રિવરફ્રન્ટ અને શહેરના વિવિધ સ્થળોએ અસામાજિક લુખ્ખા તત્વો આયોજન પુર્વક હિંદુ યુવતીઓ ની છેડતી કરે છે અને શાંત અને સામાજિક એકતાથી સજ્જ એવા હિંમતનગર શહેરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરે છે એમના પર કાયદાની કડક નજર રાખી કાર્યવાહી થાય અને બહેન દિકરી ઓ સુરક્ષિત રહી શકે એ માટે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, મહિલા પરિષદ અને ઓજસ્વિની દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી માંડલીક સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં જીલ્લા અધ્યક્ષ કનકસિહ ઝાલા, ભાર્ગવભાઇ દવે, દિનેશ સોનગરા, રવિ પટેલ, જગતસિહ પરમાર, હાર્દિકભાઈ સોની, પ્રવિણસિંહ રાજપુત, અનિલ વણઝારા, શિવરામ મૌર્ય, જુગલ જોષી, પાર્થ મિસ્ત્રી અને મેઘાબેન ઝાલા, પ્રભાબેન સોની, પારૂલ પટેલ, ક્રિષ્ના શાહ, સુરેખાબેન સથવારા ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
