આગામી 24 ઓક્ટોબરે ગિરનાર રોપ વે ઈ-લોકાર્પણ

ગાંધીનગર ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરાશેયુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને 470 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇનાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો દેશના વડાપ્રધાન મોદી આગામી તા.૨૪મી ઓક્ટોબરે દિલ્હીથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે.
જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભ પટેલ જૂનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સહભાગી બનશે.યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સન્ટીટ્યુટને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ નીતિન પટેલે જણાવ્યું હતું કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ને 470 કરોડ રૂપિયાના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.
જેમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. તે ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે. રોપ વે દ્વારા ગિરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો મળશેતેમણે ઉમેર્યુ કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપ વેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે. ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના દર્શન માટે 10 હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતુ હતું. એમાંથી યાત્રિકો-વૃદ્ધો, બાળકોને મુક્તિ મળશે અને રોપવે દ્વારા દર્શનનો લાભ લઇ શકશે.
સાથે સાથે એશિયાટીક લાયન જોવા માટે લાખ્ખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ વેનું નવું નજરાણું આહલાદક બની રહેશે. રોપ વે દ્વારા ગીરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમજ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.કિસાન સૂર્યોદય યોજના’શુભારંભ કરાશેનીતિન પટેલે ઉમેર્યુ કે,રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવીધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘કિસાન સૂર્યોદય યોજના’નો પણ આ જ દિવસે વડાપ્રધાન મોદી દ્વારા શુભારંભ કરાવાશે. આમ, રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવીધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
