જૂનાગઢ : આવકવેરાને પાત્ર પેન્શનરોએ 31 ડીસેમ્બર સુધીમાં રોકાણની વિગતો મોકલી આપવી

જૂનાગઢ : નાણાકીંય વર્ષ ૨૦૨૦-૨૧ માં આવકવેરાને પાત્ર પેન્સનરોએ તા. ૩૧ ડીસેમ્બર સુધીમાં તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો સહિતની બાબતો જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી એ મોકલવાની રહેશે.
જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરીની એક યાદી મુજબ આ કચેરી મારફત પેન્સન મેળવતા તમામ પેન્સનરોને જણાવવાનું કે, જેમની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્સનરોએ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યા અંગેના આધાર પૂરાવા તેમજ પાનકાર્ડ ઝેરોક્ષ નકલ ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી, જૂનાગઢને પહોચતી કરવાની રહેશે.
જો રોકાણની વિગતો કે આધાર પૂરાવા નિયત સમયમર્યાદામાં રજૂ કરવામાં આવે તો આવકવેરાના પ્રવર્તમાન નિયમોનુસાર ટી.ડી.એસ.ની કપાત કરી લેવામાં આવશે તેમજ પાનકાર્ડની નકલ રજૂ નહિ થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમાં થઇ શકશે. નહિ જેની સર્વે પેન્સનરોએ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
