રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે

ગાંધીનગર, જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો હતો ત્યારેહજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહયું હતું.
જે સંદર્ભે સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.પલ્લી સમયે રૂપાલમાં પ્રવેશતાં તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવનાર છે. નવરાત્રીના નોમની મધરાત્રી બાદ લગભગ તમામ જ્ઞાાતિ-કોમના સાથ-સહકારથી નિકળતી રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીના દર્શન માટે તથા પલ્લીમાં ચોખ્ખા ઘીનો અભિષેક કરવા માટે ગામે ગામથી ભક્તો આવતા હોય છે.આ જગવિખ્યાત પલ્લી પ્રસંગે મેળો પણ રૂપાલ ગામમા યોજાય છે
પરંતુ આ વખતે કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે પલ્લીનો મેળો યોજાશે નહીં તેવો નિર્ણય ગ્રામજનોની અનુમતીથી લેવાઇ ગયો છે ગ્રામજનો અને વહીવટી તંત્ર પણ ઈચ્છી રહયું છે કે હજારો વર્ષની પરંપરા જળવાઈ રહે તે માટે નિયત રૂટ ઉપર પલ્લી યોજવામાં આવે. જે માટે પોલીસ અધિકારીઓએ રૂટની મુલાકાત પણ લઈ લીધી છે.
સિમિત લોકો સાથે અને જે કોમના લોકો પલ્લીમાં જોડાતાં હોય છે તેમાં પણ ઘટાડો કરીને નિયત રૂટ ઉપર પલ્લી યોજવાનું આયોજન કરાઈ રહયું છે. જો કે તેની સત્તાવાર જાહેરાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી નથી પરંતુ રૂપાલ ગામમાં ચારેતરફથી નાકાબંધી કરીને આ પલ્લી યોજવામાં આવશે.
