રાજપીપળામાં આવે કાછીયાવાડ અંબાજી મંદિર પાસે જે નાળું જર્જરિત બનતા ચોમાસામાં જોખમી બન્યું
- તૂટેલું નાળું સત્વરે સમારકામ કરવાની માંગ.
રાજપીપળામાં આવેલી કાછીયાવાડ અંબાજી મંદિર પાસે જે નાળુ જર્જરિત હાલતમાં છે, જે અવરજવર વાળો રસ્તો હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે ખાડો જોખમી છે. જેમાં કોઈ પણ પડે તો હાથ-પગ માંગે તેવી સ્થિતિ છે. અહીં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય બીજેપી નાં છે. પણ પોતાના જ વિસ્તારની આ સમસ્યા દેખાતી નથી. રહીશો નું કહેવું છે કે આમાં અકસ્માત થાય તો કોની જવાબદારી કોની ? હાલ ચોમાસું માથે છે, ત્યારે વરસાદમાં આ ખાડામાં કોઈ પડે તો જવાબદારી કોની ? આ નગરપાલિકા આનું સમારાકામ સત્વરે કરે એવી પ્રજાની માંગ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા