રાજુલા : ભાજપના કાર્યકરો દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની જયંતિ પુષ્પાંજલિ કાર્યક્રમ
દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તેમજ જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી ઉપર આજે રાજુલા શહેર મા જીલ્લા ભાજપ ના મહામંત્રી રવુભાઈ ખૂમાણ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર,નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા, જીલ્લા યુવા ભાજપ ના મંત્રી વનરાજભાઈ વરુ, ભરતદાદા જાની, આશીષભાઈ વાવડિયા, હિમતભાઈ ઝીંજાળા, અમિતભાઈ બાબરીયા,કિશનભાઇ જાની, સંજયભાઈ લાડવા, ભવાનભાઈ ઝીંજાળા,કેતનભાઈ દવે અને તમામ કાર્યકર્તા ઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)