પિતાની પૂણ્યતિથિએ પુત્ર એ રક્તદાન શિબિરનું આયોજન કર્યું
પિતાની પૂણ્યતિથિએ પુત્ર એ રક્તદાન શિબિરનું આયોજન કર્યું.
રક્તદાન કરવા જામ્બોઇ, રાણીપુરા, ઝઘડિયાના યુવાનો આગળ આવ્યા. માં
ઝઘડિયા તાલુકાના જામ્બોઇ ગામના પીઢ સહકારી અગ્રણી સ્વ. ચીનુભાઈ પાદરીયાના સુપુત્ર અને દુધધારા ડેરીના તત્કાલીન વાઇસ ચેરમેન સ્વ. મહેન્દ્રભાઇ ચીનુભાઈ પાદરીયા નુ સાત વર્ષ પહેલાં આકસ્મિક અવસાન થયું હતું. સ્વ.મહેન્દ્રભાઇ પાદરીયા ના પુત્ર ભાવેશભાઈ પાદરીયા દ્વારા આજરોજ તા.૧૫.૧૦.૨૧ (વિજયા દશમી) સ્વ. મહેન્દ્રભાઇ ની સાતમી પૂણ્યતિથિ નિમીત્તે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલા તેમના યુનિટી પેટ્રોલિયમ ખાતે રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ની રેડ ક્રોસ બ્લડ બેંક ના પદમાંબેન પટેલ તેમની ટીમ સાથે આવી રકતદાનની કામગીરી કરી હતી. જામ્બોઇ, રાણીપુરા, ઝઘડિયાના યુવાનોએ રક્તદાન કર્યું હતું. સ્વ. મહેન્દ્રભાઇ ચીનુભાઈ પાદરીયા ની સાતમી પૂણ્યતિથિ નિમીત્તે આયોજીત રક્તદાન શિબિરમાં સ્વ. ચીનુભાઈ પાદરીયા નો સમસ્ત પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જામ્બોઈ ગામના પાદરીયા પરિવાર દ્વારા પૂણ્યતિથિ નિમીત્તે રક્તદાન શિબિર નું આયોજન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા