બાબરા માર્કેટ યાર્ડ પાછળ નદીના પટમાંથી પુરૂષની કોહવાયેલ લાશ મળી આવતાં તપાસ
બાબરામાં કાળુભાઈ નદીના પટમાંથી આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. માર્કેટ યાર્ડ પાછળ નદીના પટમાં દુર્ગંધ મારતો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને બાબરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ફોરેન્સિક મા ખસેડવામાં આવ્યો છે. આ મૃતદેહ રજાકશાહ દાઉદશાહ શેખ ઉ.વ.65 નો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાનું પોલીસની પૂછપરછમાં ખુલ્યું હતું રજાકશાહ માર્કેટયાર્ડમાં તોળાટ તરીકે કામ કરતાં હતા તેમના મોત પાછળનુ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
રિપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)