થરાદ તાલુકાના મેઢાળ ગામે થયેલી હત્યા નો ગુનેગાર ઝડપાયો
બનાસકાંઠાજિલ્લાનાથરાદતાલુકામાં ચારદિવસ પહેલા થયેલીમાતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. મેઢાળ ગામે રહેતી ૩૫ વર્ષ ની મહિલા ની હત્યા પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતીમાંથઈ હોવાનો ખુલાસો થયો છે. આ પ્રેમસંબંધમાં નિર્દોષપુત્રનો પણ ભોગ લેવાઈ ગયોછે.પોલીસે ગણતરી ના દિવસોમાંજ ડબલ હત્યાકેસનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધોછે.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતકપરિણીતા અને આરોપી વચ્ચેછેલ્લા દોઢ વર્ષથી લગ્નેત્તર સંબંધ હતા. ચાર દિવસ પહેલા પરિણીતાનો પતિ કામ ગયો હતો અને પુત્ર ભણવા ગયો હતો, ત્યારેજ તેનો પ્રેમિકા પાસે આવ્યો હતો. પ્રેમિકાને એકલી જોઇને તેણે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, પ્રેમિકાએ શરીર સુખ આપવાની ના પાડી દેતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો .આને મહિલા એ ૫૦૦૦૦ ની માંગણી પણ કરી હોવાનું જાણાવ્યુ હતું જ્યારે હત્યા કરનાર પરબતભાઈ જીવાભાઈ પટેલ દ્વારા પૈસા આપવાની ના પાડતાં મહિલા એ બળાત્કાર નાં કેસ માં ફસાઈ નાખવાની ધમકી આપી હતી જેથી પરબતભાઈ ગુસ્સે થઈઅને કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.પોતાનો પુત્ર આવી પહોંચતા ગુનો છુપાવવા પુત્ર ની પણ હત્યા પરબતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.જે હત્યા નો ભેદ પોલીસે કોલ ડીટેલસ નાં આધારે પરબતભાઈ પટેલ રહે.મેઢાલ .તા: થરાદ ને પુછપરછ કરતા જણાવ્યું હતું.તેમને માતા પુત્ર નો ગુનો કબૂલ કર્યો હતો.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
આજસમયેપરિણીતાનો વર્ષીય પુત્રઆવી ગયો હતો અનેમાતાનીલાશજોઇને હેબતાઈગયો હતો.બીજીતરફ પોતાનો ભાંડો ફૂટી જવાની બીકેઆરોપીએ માસૂમ બાળકનીપણહત્યાકરીનાંખી હતીઅનેત્યાંથીફરારથઈ ગયો હતો. બીજીતરફસાંજે પતિ ઘરે આવતાંપત્ની-પુત્રની લોહીલૂહાણ હાલતમાં લાશ જોઇનેકાંપી ઉઠ્યો હતો.