રાજકોટ જીલ્લાના ૧૬ નાયબ મામલતદારોની બદલી, રાજકોટ કલેક્ટર

રાજકોટ જીલ્લાના ૧૬ નાયબ મામલતદારોની બદલી, રાજકોટ કલેક્ટર
Spread the love

રાજકોટ જીલ્લાના ૧૬ નાયબ મામલતદારોની બદલી, રાજકોટ કલેક્ટર.

રાજકોટ  જીલ્લાના ૧૬ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. પરંતુ તેમાં માત્ર ૯ નાયબ મામલતદારોને ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. બાકીના ૭ નાયબ મામલતદારોની બદલી અન્ય કારણોસર કરવામાં આવી છે. ફ્લડ કંટ્રોલની કામગીરીમાં રોકાયેલા ૯ નાયબ મામલતદારમાં રાજકોટ ખાતે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ બજાવતા આર.આઈ.ઉપાધ્યાય, તાલુકા મામલતદાર કચેરીના વિજય વસાણી, પડધરીના ડી.આર.મોરડીયા, કોટડાસાંગાણીના સી.જી.પારખીયા, ગોંડલના એસ.આર.મણવર, જેતપુર ગ્રામ્યના બી.એન.ખાનપરા, ઉપલેટાના બી.પી.બોરખતરીયા, જામકંડોરણાના આર.જી.લુણાગરિયા અને જસદણના એલ.બી.ઝાલાને ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સાથો સાથ ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી માટે મુકવામાં આવ્યા છે. રાજકોટ ખાતે ઝોનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એસ.આર.ગીણોયાને લોધીકા બદલવામાં આવ્યા છે. લોધીકામાં ફરજ બજાવતા આર.એસ.લાવડીયાને રાજકોટમા જમીન સંપાદન અને પુનર્વસવાટ કચેરીમાં મુકવામાં આવ્યા છે. લોધિકાના બીજા નાયબ મામલતદાર એમ.પી.ઉપાધ્યાયને રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રમાં નવી ડયુટી આપવામાં આવી છે. જમીન સંપાદન કચેરીમાં કામગીરી કરતા એમ.યુ.ઓઝાને રાજકોટ ખાતે રેકર્ડ શાખામાં મુકવામાં આવ્યા છે. પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા એસ.સી.માનસાતાને ઝોનલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. લોધીકા નાયબ મામલતદાર બી.બી.ગઢવી ને મધ્યાન ભોજન યોજનામાથી બદલીને લોધીકામાં જ ઈ-ધરા કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે લોધિકામાં મહત્વની કામગીરી કરનાર આર.એસ.લાવડીયાને રાજકોટ પરત બોલાવી લેવામાં આવ્યા છે. તેઓને જમીન સંપાદન અને પુનઃ વસવાટના નાયબ કલેકટરની કચેરીમાં જવાબદારી સોંપવામાં આવી છે.

 

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!