ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્‍થાને જૂનાગઢમાં યોગ સંવાદ સ્‍નેહમિલન યોજાયું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્‍થાને જૂનાગઢમાં યોગ સંવાદ સ્‍નેહમિલન યોજાયું
Spread the love

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્‍થાને જૂનાગઢમાં યોગ સંવાદ સ્‍નેહમિલન યોજાયું

શરીરને રોગ મુક્ત કરવા જીવનમાં યોગ જરૂરી છે યોગ બોર્ડ ચેરમેનશ્રી શીશપાલજી

જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીના અધ્યક્ષસ્‍થાને જૂનાગઢ શહેરના ટાઉન હોલ ખાતે યોગ સંવાદ સ્‍નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી દ્વારા હાજર યોગ ટ્રેનરો અને લોકોને યોગ સાથે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, શરીરને રોગ મુક્ત રાખવા જીવનમાં યોગ જરૂરી છે. પરિવારમાં રોગ મૂકત રાખવા યોગ કરવા જરૂરી છે. યોગથી જ દેશને રોગ મુક્ત બનાવી દેશને આગળ વધારશું તેમ જણાવી કાર્યક્રમમાં હાજર જિલ્‍લાના યોગ ટ્રેનરો અને લોકોને યોગ કરાવ્યા હતા.

        આ યોગ સંવાદ સ્‍નેહમિલન કાર્યક્રમમાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, કૃષિ યુનિવર્સિટીના કૃલપતિ નરેન્‍દ્રભાઇ ગોટીયા, નિયામક માલમ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન રાકેશશ્રી ધુલેશિયા, કોર્પોરેટરશ્રી સંજય કોરડિયા, વિનુભાઇ અમીપરા, લક્ષ્‍મણભાઇ પટેલ, ડો.પીયૂષ બોરખતરિયા સહિતના આગેવાનો તથા જિલ્‍લા અને તાલુકાના યોગ ટ્રેનરો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દર્શનભાઇ વાઘેલા અને ડો.ખુશ્બુબેન ગરાળાએ કર્યુ હતું.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!