વલસાડ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યે શાંત પડશે.
વલસાડ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યે શાંત પડશે.
ખેરગામ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે જે માટેની તમામ તૈયારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર-પ્રસાર પડઘમ શાંત થઈ જશે. એટલે કે, તા. 29મીએ મંગળવારે સાંજે 5 વાગ્યા પછી ઉમેદવારો વાહન રેલી કાઢી શકશે નહીં. પ્રચાર-પડઘમ શાંત પડ્યા બાદ ઉમેદવારો મતદારોને ડોર ટુ ડોર મળીને અથવા ગૃપ મીટિંગ કરીને પ્રચાર કરી શકશે. આ સિવાય સભા, સરઘસ કે રેલી કાઢી શકશે નહીં.
રિપોર્ટ ;- અંકેશ યાદવ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756