રાધનપુરમાં ધૂળેટી નાં પાવન પર્વ નિમિતે અર્બુદા ગ્લોબલ જીઆઈડીસી ખાતે ખાત મુહુર્ત કરાયું
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસીમાં ધૂળેટી નાં પાવન પર્વ નિમિતે અર્બુદા ગ્લોબલ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેક મંડળના પ્રમુખ પરબતભાઈ ચૌધરી ના વરદ હસ્તે ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. તેમજ માર્કેટ યાર્ડનાં ચેરમેન કનુભાઈ ચૌધરી તથા જિલ્લા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી , દેવરામભાઈ મહાદેવભાઇ અને માવજીભાઈ સહિતના અગ્રણીઓ એ હાજરી આપી હતી.
ધુળેટીના પાવન પર્વ દિવસે અર્બુદા ગ્લોબલ જીઆઈડીસી રાધનપુર ખાતે ખાત મુહુર્ત કરાયું. જેમાં તાલુકાના વેપારીઓ સહિત ખેડૂતોને ખૂબ લાભ મળશે તેમજ લોકોને રોજગારી મળી રહેશે અને પંથકમાં ખુબ વિકાસ થસે તેમજ ખેડૂતોને લાભ મળશે તેવું માર્કેટ યાર્ડ નાં ચેરમેન કનુભાઇએ જણાવ્યું હતું. ખાત મુહૂર્ત પ્રસંગે આવેલ મહેમાનોએ અને કાર્યકરોએ શુભકામનાઓ પાઠવી હતી.
રાધનપુર માર્કેટ યાર્ડ નાં ચેરમેન કનુભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે હવે રાધનપુર ખાતે દરેક પાકનું વેલ્યુવેશન કરી પાકનું નિકાસ કરી શકશે જેંથી લોકોને રોજગારી મળશે તેમજ ખેડૂતો ને સારા ભાવ મળશે અને રોજગારીને અગ્રતા આપવામાં આવશે સાથેજ શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300