વર્ડડિક્ટ ક્લબ દ્વારા ‘મરજી મુશાયરાની’ કાર્યક્રમમાં અવનવી શાયરીઓ રજૂ થશે!
વર્ડડિક્ટ ક્લબ દ્વારા ‘મરજી મુશાયરાની’
કાર્યક્રમમાં અવનવી શાયરીઓ રજૂ થશે!
ગાંધીનગર ખાતે ઉનાળાની સાંજને શાયરીઓ દ્વારા શેરડીના રસ જેવી ઠંડક આપવા એક અનોખા મુશાયરાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ કાર્યક્રમ યુવાનોને ખૂબ પસંદ આવ્યો હતો.
ગુજરાતના ત્રણ મોટા શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતના ચાર સફળ શો કર્યા પછી, વર્ડડિક્ટ ક્લબ ફરી ગાંધીનગરમાં મરજી મુશાયરાની બીજી સિઝન સાથે પાછી ફરી છે. મરજી મુશાયરા એક રમુજી છતાં કાવ્યાત્મક મુશાયરો છે જેમાં ઝીણવટપૂર્વક પસંદ કરેલ જોડકણાંનું ભરત કામ છે. જ્યાં તમને સ્થાનિક પ્રખ્યાત કલાકારોને “મન મરજી કે શાયર” કાર્યક્રમમાં સાંભળવા મળશે. આ મુશાયરામાં કલાકાર તરીકે સબીર મલેક, અંકિત રથ, કિરણ પંચાલ, હિમાંગની રાઠોડ, પાર્થશિંગ રાજપૂત એમની કલા પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમ દિનાંક ૨૧ એપ્રિલ સાંજે છ વાગ્યે બ્લેકબર્ડ કાફે, સરગાસણ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300