માણસા ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
માણસા ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
આજરોજ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સંયુક્ત ઉપક્રમે નિયોજીત સદર રથયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને રામજન્મભૂમિ આંદોલનના પ્રખંડ પ્રણેતા હિન્દુ સમ્રાટ ડૉ. પ્રવિણભાઈ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય બ્રહ્મલીન મૌનીજી મહારાજની અભિપ્રેરણાથી આયોજીત રથયાત્રાને પ્રેમદાસજી મહારાજ અને શત્રુઘ્નદાસજી મહારાજના વરદ હસ્તે લાલ હનુમાનજી મંદિર ખાતેથી શુભ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિવિધ વેશભૂષામાં સુસજ્જ ભૂલકાઓ-મહિલાઓ-યુવાનો અને અંગકસરત કરતબ રજૂ કરતાં નવયુવાનોએ અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.
વિશાળ સંખ્યામાં હિન્દુપ્રેમી પ્રજાજનો અને કાર્યકર મિત્રોની હાજરીમાં રથયાત્રા માણસા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરી હતી એમ એક અખબારી યાદીમાં સમાજસેવી રાકેશ પ્રજાપતિ જણાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300