કોરોના અંગે લોકાર્પણ જૂથના પ્રતિનિધિ નીખીલ ખાખરીયા દ્વારા ઘણી બઘી સ્કુલમા જાતતપાસ કરવામાં આવી
કોરોના અંગે સાવચેતી તેમજ સરકારના હુકમનુ પાલન યથાયોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહિ તે અંગે લોકાર્પણ જૂથના પ્રતિનિધિ નીખીલ ખાખરીયા દ્વારા ઘણી બઘી સ્કુલમા જાતતપાસ કરવામાં આવી હતી. શેઠવડાળાની તમામ સ્કુલ તથા આંગણવાડી તેમજ બઘી સ્કુલ બધું જ વ્યવસ્થિત રીતે જણાઈ આવ્યું છે. શેઠવડાળા હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી મહેતા સાહેબ તેમજ મકવાણા સાહેબ તેમજ શ્રી તાલુકા શાળા શેઠવડાળાના આચાર્ય શ્રી જીતેન્દ્ર ભાઈ જોશી તેમજ તેમનો સ્ટાફ, શેઠવડાળા પ્રા.કન્યા શાળાના આચાર્ય શ્રી મઘુબેન જોશી તેમજ તેમનો બઘો સ્ટાફ હાજર હતો અને તેઓ દ્વારા કોરોના અંગે જાગૃતિ અને સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે તે પ્રશંસાને પાત્ર છે.