મહેસાણામાં 777 બસો ત્રણ દિવસ સુધી બંધ
ભારત સહિત વિશ્વભરમાં કાળો કેર વર્તાવનાર કોરોના વાઈરસને ગુજરાતમાં ફેલાતો રોકવા માટે વડાપ્રધાનની અપીલના સમર્થનમાં રવિવારે સમગ્ર રાજ્યમાં લોકોએ સ્વયંભુ જનતા કરફ્યુ લગાવ્યો હતો. જોકે એસ.ટી. તંત્ર દ્વારા જનતા કરફ્યુને લઈ સવારના ૭ કલાકથી માંડીને રાત્રીના ૯ વાગ્યા સુધી પાલનપુર ડિવિઝનના પાલનપુર, ડીસા, અંબાજી, દિયોદર, થરાદ, સિધ્ધપુર અને રાધનપુર સહિતના સાત ડેપોની ૫૦૦ જેટલી બસોની ટ્રીપો રદ્ કરવામાં આવી છે.
જોકે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો હોય એસ.ટી. નિગમ દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી ૨૫ માર્ચ સુધી પાલનપુર એસ.ટી. ડિવિઝનમાં આવતા બનાસકાંઠાના પાંચ અને પાટણ જિલ્લાના બે ડેપો મળીને કુલ સાત ડેપોની ૫૦૦ બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એક્સપ્રેસ રૃટની અમદાવાદ, વડોદરા, રાજકોટ તમજ સુરતને જોડતી બસોના તમામ રૃટ બંધ કરવામાં આવ્યા છે.