ભારતમાં પ્રથમવાર થશે ગાયના પંચગવ્યનો ઉપયોગ
ભારતમાં પ્રથમ વખત ગાયના પંચગવ્ય દવાનો પ્રયોગ કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા, પુના, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં પરીક્ષણ કરવામાં આવશે. એક તરફ પુરી દુનિયા કોરોનાની દવા શોધી રહ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ પર પંચગત્વનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. તેમાં ગાયના દૂધ, માખણ, ઘી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ થશે. આયુર્વેદમાં પણ પંચગવ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈ.સી.એમ.આર અને સી.ટી.આઈ.આર.ની ગાઈડ લાઇનની પ્રપોઝલ મુજબ ટ્રાયલ કરવામાં આવશે.