ગારીયાધાર બાપા સીતારામ ટ્રસ્ટ હોસ્પિટલ પરિસરમાં મહારક્તદાન કેમ્પ
ગારીયાધાર સીતારામ હોસ્પિટલ પરિસરમાં માંધાતા ગ્રુપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજુભાઈ સોલંકી અને કેળવણી રત્ન મનુભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સુધીરભાઈ વાઘાણી ગ્રુપના સૌજન્યથી મહારક્ત દાન કેમ્પ માં માંધાતા ગ્રુપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજુભાઇ સોલંકી અને ઠાકોર સમાજ અગ્રણી કેળવણી રત્ન મનુભાઈ ચાવડાની ઉપસ્થિતિ રહ્યા હતા.
મહારક્તદાન કેમ્પમાં સમસ્ત ગારીયાધાર તાલુકામાં સામાજિક સંવાદિતાના અદભુત દર્શન સ્વૈચ્છિક રક્તદાન માટે અદમ્ય ઉત્સાહ અઢારે આલમને રકનદાન માટે ઉત્સાહિત કરતા સુધીરભાઈ વાઘાણી માનવ સેવા એ જ માધવ સેવાને મૂર્તિમંત્ર બનાવી સમાજ સેવાના હિમાયતી અલ્પ વયે અકલ્પનિય પ્રવૃત્તિઓમાં ઉદાર સખાવતો કરતા સુધીરભાઈ વાઘાણીના સૌજન્યથી ગારીયાધાર ખાતે સીતારામ હોસ્પિટલ પરિસરમાં યોજાયેલ મહારક્ત દાનમાં ૧૦૦૮ બોટલ રક્ત એકત્રિત કરાયું.
સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર અને રેડક્રોસ સોસાયટી ભાવનગર રેડક્રોસ સોસાયટી રાજકોટ અને રેડકોર્સ સોસાયટી અમરેલીનું બેનમૂન સંકલન રંગ લાવ્યું રક્તદાતાઓને અતિ આકર્ષક ચેર અને છત્રીથી નવજતા અગ્રણીઓ રક્તદાન કેમ્પ સ્થળે જનજાગૃતિ માટે વિચાર પ્રેરક હદયસ્પર્શી સૂત્રો અકલ્પનિય અવેરનેસ સુધીરભાઈ વાઘાણી ગ્રુપની દુરંદેશીએ મહા રક્તદાન કેમ્પને ભવ્ય સફળતા મળી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા