ચૂડમેર પુલ નજીક થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાએ ઝંપલાવી મોતને વહાલું કર્યું
થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ કાળનો કોળિયો બની ગઈ છે, ત્યારે થરાદના ચૂડમેર પુલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી વધુ એક લાશ બહાર કાઢી હતી. ત્યારે રવિવારના રોજ થરાદ તાલુકાના ચૂડમેર ગામની મુખ્ય કેનાલમાંથી ચૂડમેર પુલ નજીકથી લાશને તરવૈયા સુલતાન મીરની ભારે જહેમત બાદ લાશ બહાર કાઢી હતી, જોકે બે સંતાનની માતાએ નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી મોતને વહાલું કરી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો, લાશ બહાર કાઢી ઓળખ વિધિ કરતાં ચૂડમેર ગામની વર્ષાબેન બાબુભાઈ વેણ ઉ.વ. આશરે 26 વર્ષ હોવાનું જાણવા મળતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોકનું મોજું પ્રસરી વળ્યું હતું.
રીપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ