ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે બીમાર અને અસ્વસ્થ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું
ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ને યાદગાર બનાવવા તેમજ તા 7-10-2021 ના રોજ નરેન્દ્ર મોદી ના વહીવટ ના સુશાસન ના 20 વર્ષ પુરા તથા હોઈ આ ત્રણ સપ્તાહ દરમિયાન ડભોઇ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભા.જ.પા ના આદેશ અનુસાર સેવા અને સમર્પણ કાર્યક્રમ હેઠળ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.જે અંતર્ગત આજરોજ ડભોઈ નગર ભાજપા મંડળ ના અનુસૂચિત જનજાતિ મોરચા ના કાર્યકરો, પદાધિકારીઓ તેમજ જુદા જુદા સંગઠન ના પદાધિકારીઓ દ્વારા ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે અસ્વસ્થ બીમાર દર્દીઓને ૪૫ થી વધુ ફ્રૂટ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવી માન્ય વડાપ્રધાન ને જન્મ દિન ની ભેટ અર્પણ કરી સુભેચ્છાઓ પાઠવી હતી.