ધનસુરા : પાચકુહાડા ગામેં હિંસક પ્રાણી દ્વારા ઘેટા નું મારણ થયેલુ નજરે પડ્યું!
ખેડૂતો માં ભય નો માહોલ
પાંચકુહાડા ગામના સીમાડા મા નાડીયા અરવિંદભાઈ રેવાભાઇ ના વરીયાળી ના ખેતરમાં ઘેટાં નું મારણ કરી છોડી દીધું છે કોઈ અજાણ્યા હિંસક પ્રાણી એ આ ઘેટા નું મારણ કરેલું હોય તેમ લાગે છે આ વિસ્તારમાં જમીન કાળી હોવાના લીધે કોઈ પગલાં નું નિશાન દેખાતું નથી વનવિભાગ દવારા તપાસ કરી આસપાસના વિસ્તારમાં કોઈ મોટી જાનહાનિ થાય કે કોઈ વ્યક્તિઓને નુકસાન થાય તે પહેલાં તપાસ કરવી જરૂરી છે આ પાચકુહાડા વિસ્તારમાં ખેડૂતો ને બોરવાઈ ફીડરના ખેતી ના લાઈટ નો સમય પણ સાજે 4 30 વાગ્યા થી રાત્રિના 12/30 વાગ્યા સુધીમાં છે એવામાં આસપાસના ખેડૂતો મા ભયનો માહોલ ઊભો થયો છે આ વિસ્તારના ખેડૂતો ની લાગણી છે કે આ બાબતે પાચકુહાડા ના પૂર્વ ડેપ્યુટી સરપંચ અને અગ્રણી યુસુફ ભાઈ કલાલ દવારા તંત્ર ને સત્વરે તપાસ કરી જો કોઈ હિંસક પ્રાણી હોય તો જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતો મા પ્રસરેલી ભયની લાગણી દૂર થાય તે માટે યોગ્ય તપાસ થવી જરૂરી છે તેમ જણાવ્યું છે
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300