ભગવાન ફરી મને ‘બેટિંગ’ કરવાનો મોકો ન આપે તેવી પ્રાર્થનાઃ આકાશ વિજયવર્ગીય
ઇન્દોર,
ઇન્દોર કોર્પોરેશનના અધિકારીને ક્રિકેટના બેટથી મારવાનો બહુચર્ચિત કેસ અને એક બીજા પ્રકારણમાં ભોપાલની સ્પેશ્યલ કોર્ટે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન આપી દીધા છે. બહાર આવ્યા બાદ આકાશે પત્રકારો સાથે વાતચીતમાં કÌšં કે જેલમાં તેમનો સમય સારો પસાર થયો છે. સાથો સાથ ભાજપ ધારાસભ્ય એ એમ પણ કÌšં કે તેઓ પ્રજાની સેવા કરતાં રહેશે. સાથો સાથ કÌšં કે ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ફરીથી મને બેટિંગ કરવા તક ના આપે.
ભોપાલની સ્પેશ્યલ કોર્ટે શનિવારના રોજ આકાશને જામીન આપી દીધા હતા. પરંતુ લોકઓપના નક્કી સમય સુધીમાં સ્થાનિક જેલ પ્રશાસનને જામીનના કોર્ટના આદેશ મળ્યા ના હોવાથી તેમને જેલમાં જ સતત ચોથા દિવસે રાત પસાર કરવી પડી.
આપને જણાવી દઇએ કે આકાશ ભાજપના રાષ્ટÙીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દીકરો છે. શહેરના ગંજી કંપાઉન્ડ વિસ્તારમાં એક જર્જરીત ભવનને પાડવાના મુહિમના વિરોધ દરમ્યાન આકાશે કોર્પોરેશનના એક અધિકારીને ક્રિકેટ બેટથી પીટ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં આ પિટાઇ કાંડમાં ધરપકડ બાદ વિજયવર્ગીયને બુધવારના રોજ અહીંની એક સ્થાનિક કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ભાજપના ધારાસભ્યની જામીન અરજી રદ કરી દીધી હતી. તેની સાથે જ તેમણે ૧૧ જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીની અંતર્ગત જિલ્લા જેલમાં મોકલી દેવાયો હતો.