પ્રેમ ક્યારેય નફરતમાં ફેરવાઈ શકે નહીં – રીતિક રોશન

પ્રેમ ક્યારેય નફરતમાં ફેરવાઈ શકે નહીં – રીતિક રોશન
Spread the love

મુંબઈ,
બોલિવૂડ એક્ટર રીતિક રોશન તથા તેની પૂર્વ પત્ની સુઝાન ખાન વચ્ચે સારી મિત્રતા છે. ડિવોર્સ બાદ પણ બંને ઘણીવાર સાથે જાવા મળે છે. બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરતાં રહે છે. બંને બાળકોનું પૂરું ધ્યાન રાખે છે અને બાળકોને લઈ ફરવા પણ જાય છે. હવે, રીતિકે પૂર્વ પત્ની સાથે કેવા સંબંધો છે, તે અંગે વાત કરી હતી.
રીતિક રોશને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘આ એક સુંદર સંબંધ છે. અમારા બાળકો સાથે, મિત્ર તરીકે સારા સંબંધ છે. એક વાત નક્કી છે કે પ્રેમ ક્યારેય નફરતમાં બદલાઈ શકે નહીં. જા આ નફરત છે તો ક્્યારેય પ્રેમ હતો જ નહીં. પ્રેમનું બીજું પાસું પણ પ્રેમ જ છે. એકવાર તમે આ વાત સમજી જાવ પછી તમે પ્રેમમાં પરત આવવાના રસ્તાઓ શોધો છો.’

સુઝાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, ‘મારા અનુભવના આધારે તથા મારા જીવનનો એક હિસ્સો આ પરિવારની ઘણી જ નજીક હોવાને કારણે હું સુનૈનાને ઘણી જ પ્રેમાળ, કૅરિંગ વ્યક્તિ તરીકે ઓળખું છું, જે હાલમાં દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં છે. સુનૈનાના પિતા હાલમાં બીમારીમાંથી પસાર થઈ રહ્યાં છે. આવામાં મહેરબાની કરીને પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમનું સન્માન કરો. દરેક પરિવાર આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. મારે આ કહેવાની જરૂર પડી કારણ કે હું લાંબા સમયથી આ પરિવારનો હિસ્સો રહી છું’

Admin

Admin

9909969099
Right Click Disabled!