સિધ્ધપુર : પીવાના પાણીની લાઈનમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મિશ્ર આવતા રોગચાળાની દહેશત
પાટણનાં સિધ્ધપુર શહેરના વોર્ડ નંબર ૯ મા આવતાં નવાવાસ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી પીવાના પાણી મા ભૂગર્ભ ગટરનું દુષિત પાણી આવતું હોવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે આ સમસ્યાને લઈને વિસ્તારના લોકો મા રોગચાળો ફેલાવાની ભિતી સેવાઈ રહી છે.અને સ્થાનિક રહિશો દ્ધારા દુષિત પાણી ની સમસ્યા બાબતે કોંગ્રેસના મ્યુ. સદસ્ય હુસૈનભાઈ કવ્વાલને રજુઆત કરતા તેઓ દ્રારા આ સમસ્યા ના તાત્કાલિક નિવારણાર્થે સિધ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્થાનિક રહીશોની સહીઓ સાથે આવેદનપત્ર આપીને નવાવાસ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતુ હોવાનું જણાવી લોકોના સ્વાસ્થની ચિંતા સાથે કોઈ મોટી મહામારી ફેલાય તે પહેલા આ સમસ્યાને સત્વરે હલ કરવા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300