કચ્છ તેમજ જામનગર નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

કચ્છ તેમજ જામનગર નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ
Spread the love

કચ્છ તેમજ જામનગર નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગત દિવસોમાં સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છ ખાતે જુદા જુદા સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયા હતા અને તેમાં ૮ લોકોનાં મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ ખાતે ભૂજ ભચાઉ માર્ગ પર અકસ્માતમાં માધાપરના સોની પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ભૂજ ખાતે રહેતા ડો રિશી જોશી દ્વારા પહોચતી કરવામાં આવશે.
બીજી એક ઘટનામાં જામનગર નજીક સચાણા ના પાટીયા પાસે ટ્રક સાથે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ગોકુલનગર જામનગરના ચાર વ્યક્તિનાં મોત નિપજયા છે. અતુલ ઓટો ના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મરુતકોના પરિવારજનોને પણ રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ પહોંચાડવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ – હરેશ જોશી, કુંઢેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!