જેતપુરના મોટા ગુંદાળા ગામે સાતમ આઠમ માટે રાહત દરે મીઠાઈનું વિતરણ
આ ગામના તમામ યુવાનો ગૌશાળા ના લાભાર્થે આ સેવા કાર્ય કરવામાં આવે છે. આ મીઠાઈ અને ફરસાણ બનાવવા માં 60 થિ 70 ડબ્બા ઘી ચોખ્ખું વપરાય છે. અને 125 લોટ ના કટા વાપરવા માં આવે છે. આ ફરસાણ તેમજ મીઠાઈ શુદ્ધ ઘી માં બનાવવા માં આવે છે. ગયા વર્ષે 14 લાખ નો વહેપાર કર્યો હતો 5 લાખ નું ભંડોળ એકઠું કરી કોઈ પણ ગામે કોઈ પણ જગ્યાએ ગૌ શાળા માં ચારો પહોંચાડવામાં આવે છે. હિતેશભાઈ નંદનીયા અને જીતુભાઇ કાકડીયા 10 દિવસ આ તમામ ફરસાણ તેમજ મીઠાઈ નિઃશુલ્ક બનાવી આપે છે જેતપુર તાલુકા નું મોટી ગુંદાળી ગામ આવું સારું કામ કરી બતાવે છે. ગ્રામજનોને ધન્યવાદ આપવો જોઈએ, આવું તો ગરીબ માણસ માટે અમુક ગામમાં જ હોય
રિપોર્ટર રસિક વેગડા, મોટીકુકાવાવ