આણંદ જીલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્રારા ‘‘સાયબર સુરક્ષા જાગૃતિ’’ અંગે કાર્યક્રમ
આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ સાહેબશ્રીની સુચના મુજબ અને સાયબર ક્રાઇમ નોડલ અધિકારીશ્રી આર.એન વિરાણીના માર્ગદર્શન હેઠળ વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા અને નાગરીકોમાં જાગૃતતા લાવવા સારૂ આજરોજ તા.૧૨/૧૦/૨૦૧૯ ના કલાક ૧૦:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન ખંભાત બી.ડી.રાવ આર્ટસ, કોમર્સ, એન્ડ સાયન્સ કોલેજ ખાતે આશરે ૧૫૦ વિધાર્થી – વિધાર્થીનીઓ તથા અધ્યાપકોની ઉપસ્થિતિમાં સાયબર ક્રાઇમ સેલ દ્રારા ‘‘સાયબર સુરક્ષા જાગૃતિ’’ અંગેનો કાર્યક્રમ કરવામાં આવેલ.