ભરૂચ ખાતે ગાંધી સંકલ્પ યાત્રા તથા દર્દીઓને ફ્રુટ વિતરણ
ભરૂચ શહેરના સેવાશ્રમમાં જ્યાં મહાત્મા ગાંધીજીએ બપોર વિશ્રામ કરેલ, આ સ્થળે ભરૂચના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, લોકલાડીલા ધારાસભ્ય શ્રીદુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જીલ્લા પ્રમુખ શ્રીયોગેશભાઈ પટેલ, ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા સહિતના જિલ્લા અને શહેરના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સેવા યજ્ઞ સમિતિના દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું અને સેવાશ્રમ માં મેડિકલ કેમ્પ યોજ્યો.