આહવા : આંબેડકર ભવન ખાતે આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાની 144 મી જન્મ જયંતીની ઉજવણી

આહવા : આંબેડકર ભવન ખાતે આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાની 144 મી જન્મ જયંતીની ઉજવણી
Spread the love

આહવા તાલુકાના આંબેડકર ભવનમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી મસીહા અને સ્વાતંત્ર્ય સેનાની 144 મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમા ખાસ કરીને આ કાર્યક્રમમાં ડૉકટર જયંતીભાઈ ચૌધરી તથા ડૉકટર દિગવેશભાઇ ભોયે દ્વાર ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશે ઉદબોદન કરવામાં આવ્યું હતુ અને કેવી રીતે બિરસા મુંડાજીએ આઝાદીની લડતમાં અંગ્રેજોનાં દાંત ખાટા કર્યા હતા એ યાદ અપાવ્યું હતું. આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારમાંથી આવેલ ત્રણે તાલુકાના ગ્રામજનોને પ્રકુતિરક્ષણ અને પર્યાવરણ બચાવવા અંગે લોકોને માહિતી આપી હતી. આદિવાસી મસીહા બિરસા મુંડાની જન્મ જયંતી કાર્યક્રમમાં આંબેડકર ભવન ખાતે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!