મીડિયાને અનુકૂળતા કરી આપવા ભારત સરકારે સૂચના આપી
- Covid-19 સંબંધી રિપોર્ટિંગ માં આપને કોઈ મુશ્કેલી પડે તો સરકારનું તંત્ર કરશે મદદ.
- ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મીડિયાને અનુકૂળતા કરી આપવા સૂચના આપી.
અત્યારે હાલ કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓને કારણે સરકારી વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જે સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા પત્રકારો પણ લાઠીચાર્જ અને અત્યાચાર ગુજારીને તેઓને યેનકેન પ્રકારે રિપોર્ટીંગ કરવામાં બાધારૂપ બની રહ્યાં છે જે સંદર્ભે આજરોજ ભારત સરકાર દ્વારા મીડિયાને અનુકુળતા કરી આપવા અને તેઓની રિપોર્ટીંગની કામગીરીમાં કોઈપણ રીતે અવરોધ નહિ બનવા માટે તમામ રાજ્યોની સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યો છે.