પાલનપુર બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા સરાહનીય કામગીરી.
સમગ્ર વિશ્વમાં જ્યારે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો હાહાકાર મચી ગયો છે, ત્યારે અનેક સેવાભાવી સંસ્થા ઓ દ્રારા રોજ કમાય છે ને રોજ ખાય છે તેવા ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતના ખાદ્ય ચીજવસ્તુઓની રાશનકીટ આપવામાં આવતી હોય છે. તેવામાં બનાસકાંઠા દલિત સંગઠન અને માનવ વિકાસ સંશોધન સંસ્થા અમદાવાદ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ, વિધવા, વિકલાંગ, ત્યકતા તેમજ ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતની ખાદ્ય ચીજવસ્તુઓની રાશનકીટ આપવામાં આવી હતી.
સમગ્ર દેશમાં જ્યારે કોરોના ને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઘરે બેઠેલા ગરીબ કુટુંબોને બનાસકાંઠા દલિત સંગઠન અને માનવ વિકાસ સંશોધન અમદાવાદ દ્વારા લોકડાઉન અંતર્ગત ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતની ખાદ્ય ચીજવસ્તુઓના રાશનકીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ધાનેરા તાલુકાના નેનાવા, નાનુંડા, ભાજણા, તેમજ લવારા ગામ ના સરપંચ અને આગેવાનોને સાથે રાખીને તમામ સમાજને સમાન ગણી ને વિધવા બહેનો, અત્યંત ગરીબ તથા ખરેખર જરૂરિયાત મંદ લોકો હતા તે બધા ને રેશનકીટ અપાવામાં આવી હતી
રિપોર્ટ : ફોજાભાઈ સોલંકી (ધાનેરા)
(લોકાર્પણ દૈનિક)