રાજકોટ જીલ્લાના ધોરાજી ટ્રક એસોસિએશનના પ્રમુખ દ્વારા અનન્ય સેવા
આપના દેશમાં કોરોના વાયરસના લીધે સરકાર શ્રીએ 21 દિવસનું લોકડાઉન કરેલ છે. આવી કપરી પરિસ્થિતિ માં જે ગરીબ પરિવારના લોકો મજૂરી કરીને કાયમનું કાયમ ગુજરાન ચલાવતા હતા તેવા લોકો હાલ ધંધા રોજગાર બંધ કરી કાયદાને ધ્યાનમાં લઈ ઘરે બેસી રહ્યા છે. અને મજૂરી ન મળવાને કારણે આર્થિક ભીંસમાં આવી ગયા છે. પણ જો બધા દેશો અલગ એવા આપણા ભારત દેશમાં જોવા જઈએ તો અહીંયા સેવાભાવી સંસ્થાઓ અને સેવાકીય લોકોની કોઈ કમી નથી ત્યારે ધોરાજી ટ્રક એસોસિએશન દ્વારા ગરીબ પરિવારો ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘઉં, ખીચડી, બટાકા શાકભાજી જેવી દરેક વસ્તુઓની એક કીટ આપી હતી.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)