ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા શાકભાજી અને કરિયાણાના વેપારીઓને હેલ્થ કાર્ડ ઈસ્યુ
ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા શાકભાજી અને કરિયાણાના વેપારીઓને હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા કોરોનાને લઈને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત અને આરોગ્ય ટીમ ધ્વારા શાકભાજી અને કરિયાણાના વેપારીઓને હેલ્થ સ્ક્રિનીંગ કરી હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. આ કાર્ડની મુદત એક અઠવાડિયાની રહેશે. ત્યાર બાદ ફરી હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ ફરી આ હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે.જેમાં ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ યશવંતભાઈ પટેલ, તલાટી કમમંત્રી મહેશભાઈ પ્રજાપતિ, પ્રદીપભાઈ ભાવસાર, અર્પણભાઈ પટેલ, પંકજભાઈ, આકાશભાઈ, ગોપાલભાઈ અને આરોગ્ય વિભાગમાંથી ચિંતલબેન પટેલ, ભગવતીબેન ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટૅ : મનોજ રાવલ (ધનસુરા)