હળવદના રાયસંગપુર કેનાલમાં તુટી : ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું
હળવદના રાયસંગપુર ગામે નર્મદા બ્રાન્ચની માઈનોર 8 નંબર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતે મહા મહેનતે પકવેલા પાક પર પાણી ફરી વળ્યું છે જેમાં 10 વીઘાના ઉનાળુ તલ પર પાણી ફરી વળતા ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતો પર આફતોનો મારો હોય તેમ વારાફરતી આફતો પર આફતો આવી રહી છે જેમાં હળવદના રાયસંગપુર ગામે ખેડૂતે તૈયાર કરેલો ઉભો પાક તલના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતે મોમાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.
ત્યારે એક બાજુ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોરોના,માવઠાનો માર જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવી લેતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે હળવદની 8 નંબરની પેટા કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતના 10 વિઘાના ઉભા તલના પાકમાં પાણી ફરી વળ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરી વળતર ચુકવવા ખેડૂત કાળુભાઇ મોરીએ માંગ કરી છે.