ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ અરવલ્લીની મુલાકાત લીધી

ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ અરવલ્લીની મુલાકાત લીધી
Spread the love

હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા જળસંચય સહિતના વિવિધ કામો દ્વારા રોજગારી આપવામાં આવી રહી છે. બીજી બાજુ ગામડાઓમાં સ્થિતિ કેવી છે અને ગ્રામવિકાસ યોજનાના વિવિધ કામો સારી રીતે ચાલે છે કે કેમ તેની સમીક્ષા કરવા ગ્રામવિકાસ કમિશ્નરે શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. સરકાર દ્વારા ગ્રામવિકાસના અનેક કામો અને યોજનાઓ ગામડાના લોકો માટે મુકવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં યોગ્ય રીતે કામો ચાલી રહ્યા છે.

વિવિધ યોજનાઓનો લાભ ગામડાના લોકો સુધી પહોંચી રહ્યો છે કે કેમ તે અંગેની સમીક્ષા કરવા માટે ગ્રામવિકાસ કમિશ્નર વિજય નહેરાએ શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી. દરમિયાન મોડાસા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત ના અધિકારી ની પંચાયત ભવન ખાતે બેઠક યોજી યોજનાઓની સમીક્ષા પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મોડાસાના ડુઘરવાળા ખાતે ગામવાન યોજનાની તપાસ કરી હતી અને ગ્રામવિકાસ યોજનાના વિવિધ કામોની સમીક્ષા કરી હતી.જ્યારે જિલ્લાના મોડાસા ડુગરવાડા,રેલ્લાવાડા,વાણીયાવાડા સહિતના ગામોની મુલાકાત લઈ કામોની સમીક્ષા કરી હતી.

IMG-20200619-WA0037.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!