ઉપલેટામાં ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ

ઉપલેટામાં ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ
Spread the love

ઉપલેટા : રાજકોટ ડિસ્ટ્રીક બેંકના પૂર્વ ચેરમેન અને ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રથમ પુણ્યતિથિ પર સમગ્ર સૌરાષ્ટ્ર માં એક મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓ.બેન્ક કર્મ. ચેરી એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને રાજકોટ તેમજ મોરબી સહકારી પરિવાર દ્વારા ઉપલેટા મા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો પ્રારંભ આર.ડી.સી. બેંકના ચેરમેન લલિતભાઈ રાદડિયા ના હસ્તે કરી સમગ્ર શહેરીજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

લલિતભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખેડૂતો માટે અઢળક કર્યો કર્યા છે અને સદાયને માટે ખેડૂતોના મસીહા સાબિત થયા છે. ખેડૂતોને તેમજ સમગ્ર પરિવારોને વિઠ્ઠલભાઈ રાદડિયા ની વિદાય ક્યારેય ભુલાસે નહિ લલિતભાઈ રાદડિયા દ્વારા શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે ગરીબોને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તથા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપલેટા ના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો,નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ હાજર રહી વિઠલભાઈ ને પ્રથમ પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200731-WA0018.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!