કડી ખાતે ABVP દ્વારા પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાંજલી આપી
કડીના વડવાળા હનુમાનજીના મંદિર પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 14/2/19 ના રોજ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને દ્રિતિય વાર્ષિક શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિશ્વાસની પટેલ બજરંગદળ સંયોજક નિરવભાઈ નાયક તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી નિરંજનભાઇ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.