જામનગર : શૂરવીર અમર શહીદ વીર હેમુ કાલાણી જી ની શહાદત દીને પુષ્પાંજલી કરવામાં આવી
આજરોજ સાંજે જામનગર સિંધી સમાજ તથા ભારતીય સિંધુ સભા ની ટીમ દ્વારા શહેર ના સિંધુ સેવા ટ્રસ્ટ ખાતે મેદાન મા સમાજ ના આગેવાનો યુવાઓ સાથે મળી ને સિંધી સમાજ નૌજવાન શૂરવીર યુવા ક્રાંતિકારી એવા વીર અમર શહીદ હેમુ કાલાણી જે નાનપણ થી દેશ ની માટે કઈક કરવાની જુસ્સા ભરી ઊર્જા સાથે તેમણે દેશ ની આઝાદી ની લડત માં તેમજ અનેક આંદોલન માં પોતાની ભૂમિકા ભજવી માત્ર ૧૯ વર્ષ ની વયે ફાંસી ની સજા માં હસતા મુખે દેશ ની રક્ષા માટે પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર અંતિમ શ્વાસ સુધી માં ભરતી ના નારા ઇંકલાબ જિંદાબાદ ના નારા લગાવી ફાની ને માંચડે ચડી પોતાના પ્રાણ માં ભારતી ને ત્યજયા હતા એવા શૂરવીર અમર શહીદ વીર હેમુ કાલાણી જી ની શહાદત દીને બે મિનિટ નું મૌન પાડી અને પુષ્પાંજલી કરી સિંધી સમાજ ના મોભીઓ દ્વારા વીર શહીદ હેમુ કાલાણી વિશે મૌખિક વકૃતવ આપી સમાજ માં આવા ક્રાંતિકારી યુવા માંથી પ્રેરણા લઈ સમાજ માટે દેશ માટે કાઈક કરવા માટે ના દ્રષ્ટાંત ના પાઠ આપવામાં આવ્યા.
તેમજ હાલ ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકાર શ્રી ની ગાઇડલાઈન ને અનુસરી આરોગ્ય ની સાવચેતી ધ્યાને લઇ વ્યવસ્થા સાથે માસ્ક પેહરી આ શ્રધાંજલી નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં, જામનગર સિંધી સમાજના પ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી,ભારતીય સિંધુ સભા જામનગર ના અધ્યક્ષ ઘનશ્યામદાસ ગંગવાણી, તેમજ સમાજ ના કિશનચંદ ધિંગાણી,પ્યારેલાલ રાજપાલ, ગ્યાનચંદ ભદ્રા, વિનોદ ત્રિલોકચંદાણી, કિશોરભાઈ સંતાણી,મોતીભાઈ માખેજા, હરીશભાઈ રોહેરા તેમજ સમાજ ના યુવા એવા કપિલભાઈ મેઠવાણી, ચિરાગભાઈ ટહેલરામાણી વગેરે સૌ ભાઈઓ યુવાઓ કાર્યક્રમ માં હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.
રિપોર્ટ : કપિલ મેઠવાણી
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756