કેન્દ્રએ એક દેશ,એક રેશનકાર્ડ લાગૂ કરવા ૩૦ જૂન ૨૦૨૦ સુધીનો સમય આપ્યો
ન્યુ દિલ્હી,
કેન્દ્ર સરકારે દેશમાં ‘એક રાષ્ટÙ, એક રેશનકાર્ડ’ વ્યવસ્થા લાગૂ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૩૦ જુન ૨૦૨૦ સુધી એક વર્ષનો સમયગાળો આપ્યો છે. આ વ્યવસ્થા હેઠળ કોઇ પણ લાભાર્થી દેશભરમાં ક્્યાંયથી પણ સસ્તા ભાવે અનાજ ખરીદી શકે છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને કÌšં કે, દસ રાજ્ય પહેલાંથી જ જાહેર વિતરણ પ્રણાલીના પાત્રતા મામલે પોર્ટેબિલિટી ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટÙ, રાજસ્થાન, તેલંગણાં અને ત્રિપુરા સામેલ છે.
તેમણે કÌšં કે, આગામી વર્ષ ૩૦ જુન ૨૦૨૦ સુધી સમગ્ર દેશમાં ‘એક રાષ્ટÙ, એક રેશનકાર્ડ’ વ્યવસ્થાને લાગૂ કરવામાં આવશે. અમે આ વિશે રાજ્યોને ઝડપથી કામ આગળ વધારવા માટે પત્ર લખ્યો છે. નવી પ્રણાલીથી તે સુનિશ્ચિત થઇ શકે છે કે જા કોઇ પણ ગરીબ વ્યÂક્ત એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે કો તેને રાશન મળવામાં કોઇ પ્રકારની પરેશાની થવી જાઇએ નહી. નવી સિસ્ટમથી બોગસ રાશનકાર્ડ સમાપ્ત થઇ જશે.
પાસવાને આગળ કÌšં કે, તમિલનાડૂ, પંજાબ, ઓડિશા અને મધ્યપ્રદેશ સહિત ૧૧ રાજ્યોમાં રાશનકાર્ડ ધારકો માટે રાજ્યમાં એક સ્થાન પરથી અન્ય સ્થાન પર જવાની Âસ્થતીમાં સસ્તુ રાશન મળવું સરળ થશે. આ રાજ્યોમાં રાશનની દુકાનમાં પોઈન્ટ ઓફ સેલ મશીનો પહેલાંથી જ લાગૂ થયેલી છે.
ખાદ્ય મંત્રીએ કÌšં કે, મોદી સરકારના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસના એજન્ડામાં સામેલ કાર્યક્રમોમાં આ કાર્યક્રમ પણ છે. સરકાર નવેમ્બર ૨૦૧૬ બાદથી દેશમાં રાષ્ટÙીય ખાદ્ય સુરક્ષા કાયદો અમલમાં લાવવા માટે પ્રયત્નશીલ છે. આ કાયદા હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને સસ્તા ભાવે એકથી ત્રણ રુપિયા કિલોના ભાવે રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.