ખેરગામમાં અંબા માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો.
ખેરગામમાં અંબા માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો.
ખેરગામ:ખેરગામ ગામે દાદરી ફળિયામાં આવેલા અંબામાતા મંદિરના પાટોત્સવ નિમિત્તે શ્રીમદ રાજચન્દ્ર હોસ્પીટલ,અંબિકા યુવક મંડળ અને ખેરગામ પોલીસના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેનું ઉદઘાટન કથાકાર પ્રફુલભાઇ શુક્લના હસ્તે કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે પી, એસ, આઈ, પઢેયાર, ભોવતેશ કંસારા, ડેપ્યુટી સરપંચ જીગ્નેશ ભાઈ પટેલ, શતીશભાઈ રિદ્ધિ,, તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.શિબિરમાં 53 યુનિટ રક્ત ભેગું થયું હતું.જેમાં મહિલાઓએ પણ જાગૃતિ દર્શાવી હતી.આશીર્વાદ આપતાં પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે આજના યુગમા રક્તદાન ખુબ જ જરૂરી છે દાદરી ફળીયા રાઠોડ સમાજે ક્રાંતિ કરી છે માઁ અંબા ની કૃપા થી સત્કાર્યો થઇ રહ્યા છે.આ પ્રસંગે મંદિરના પટાંગણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.માતાજીનું હવન પૂજા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.કથાના આચાર્ય તરીકે અનિલભાઈ જોશીએ સેવા આપી હતી.આ આ કાર્યક્રમને સફળ બનાવવા અંબિકા યુવક મંડળના મિત્રોએ મારી જેમત ઉઠાવી હતી.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300