જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા 21મો શૈક્ષણિક સન્માન સમારોહ
પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા 21મા શૈક્ષણિક સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ 21 મા શૈક્ષણિક સન્માન સમારોહ માં ઉપસ્થિત રહી વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થિની ઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરીને તેઓ આગળ વધે તે માટે સતત પ્રયત્ન કરવા જોઈએ.તેઓ જ આવતી કાલ નું ભવિષ્ય છે.તે મજબૂત થાય તો જ દેશ નું ભવિષ્ય ઉજ્જવળતા તરફ આગળ ગતિ કરી શકે…!